.

આવ્યો વિચાર એક આજ, કે લાવ ને બદલી જોઉં મારી જાત ને,

પણ થયો સવાલ પેહલો કે, હું રૂપ કયું લઉં?

.

થયું મને કે લાવ સુરજ બનું,

પણ એમાં તોહ ભાઈ અસહ્ય તાપ છે.

.

મન ને વાળ્યું કે ભલે બની જઈશું દરિયો,

પણ થયું ભાન કે એને પણ ક્યાં માપ છે.

.

થયું કે બનું વાદળ વરસાદી,

પરંતુ એ પણ તો વરસી ને સરી જશે.

.

થયું કે બની જાઉં આભ નો તારો,

અરે..રે! એ પણ તો એક દી ખરી જશે.

.

થયું કે લાવ બનું પેલી અફર ભીષ્મ પ્રતિજ્ઞા,

પણ ભવિષ્ય માં એ પણ નડી જવાનો ભય હતો.

.

બની જાત કદાચ હું પેલું છોડ મૃદુ,

પણ પવન ની થાપટો સામે એના અસ્તિત્વ ની વિષય હતો.

.

બની જાત કદાચ પ્રભુ રામ ની માતા,

પણ કૌશલ્યા ની મનોદશા યાદ આવી.

.

આવ્યું યાદ રુદન ૧૦૦ પુત્રો ના મૃત્યુ પછી નું,

ને એ ગાંધારી પણ નાં ફાવી.

.

થયું કે બની જાઉં ધૂળ ધરતી ની,

પણ નદીઓ ના પાણી હંફાવી ગયા.

.

થયું કે બનું ઇશુખ્રિસ્ત ભગવાન,

પણ એ શૂળ અને ખીલ્લા રોવડાવી ગયા.

.

થયું કે બની જાઉં પેલો ઐરાવત ગજ,

પણ દુર્વાશા ઋષિ નો શ્રાપ યાદ આવ્યો.

.

થઇ ઝંખના કે થાઉં મુસલમાન મિત્રો માં પૂજાતી હજ ની એ પવિત્ર સફર,

પણ નાપાક હોવાનો એ વસવસો યાદ આવ્યો.

.

થયું કે લાવ બની જાઉં યમરાજ ને સૌના પ્રાણ હરું,

પણ પ્રાણ હરી ને કરેલા પાપ નો હિસાબ ક્યાં ભરું?

.

થયું કે બની જાઉં ખુદ ભગવાન પરમાત્મા અને દુનિયા ચલાવું,

જોયું તો બધે જ ફરિયાદો અને નિસાસા દેખાયા , કેટલા ને અને કેવી રીતે સમજાવું.

.

અંતે થયું કે લાવ બની જાઉં માનવી, જોઉં એની પણ કેટલો ભાર છે,

ને સાદ આવ્યો આત્મા નો કે મિત્ર આ માણસ તરીકે જન્મેલા તારા મન નો જ વિચાર છે.

.

ને હસ્યા ભગવાન કે છોકરા આમ જોવે તો તુજ દુનિયા, તુજ ઈશ્વર,તું જ અત્ર-તત્ર-સર્વત્ર, બ્રહ્માંડ નો હર એક અણુ તું છે,

પણ આજ બસ એટલું કેહવું છે કે, મૌલિક- તું માનવી માનવ થાય તો ઘણું છે.

.

~મૌલિક ત્રિવેદી


વહેતી જતી જીંદગી માં ઠહેરાવ યાચુ છું,

વર્તમાન નાં ખોળે બેઠો મારા ભૂતકાળ ને વાંચુ છું.

.

સુખ-દુ:ખ નો થાળ લઇ ચિત્રગુપ્ત ઉભો રહ્યો,

વિચારોનો દરિયો મારા માનસપટ પર વહેતો રહ્યો.

.

નસીબ ની ધીરજ ખૂટી પડી ને કાણું થાળ માં પડી ગયું,

રહ્યું-સહ્યું સુખ તે કાણાં થકી સરી ગયું.

.

સરતા સુખ ને રોકવાની એ પળ મારાથી ચુકાઈ ગઈ,

આ કરુણા જોઈ ને ઘડીભર પોક વિધાતાથી મુકાઇ ગઈ.

.

એ સરી ગયેલા સુખના સરવાળા બાદબાકી માં અટવાયો છું,

તૂટેલા સપનાઓના ટુકડાઓથી ખુદ જ ઘવાયો છું.

.

બનીને યાદોના આંસુ હું બેફામ વહેતો રહ્યો,

જીવન ની સંતાકુકડી માં વાસ્તવિકતાઓથી પળ પળ છુપાતો રહ્યો.

.

પતંગિયા ને મન આગ પ્રકાશ માત્ર છે દુનિયા,

લાગણીઓના મધદરિયે સરેઆમ તરસતો રહ્યો.

.

બની ને આંસુની મૌલિક ધાર સંતાપ વરસતો રહ્યો,

સુરજ ની કોખ માં બેઠો એ અંધકાર હસતો રહ્યો.

.

ફરી દિશા દેખાઈ જીવનને ત્યાં રસ્તો વળી ગયો,

પ્રતિબિંબ ની શોધમાં રઝળતા મારા પડછાયા ને ઉજાસ નડી ગયો.

.

એ રસ્તાને અટકાવતો ત્રીજો કિનારો યાચું છું,

વર્તમાન ના ખોળે બેઠો મારા ભૂતકાળને વાંચું છું.

ચાલ ને એક ઘર બનાવું,
સ્નેહ અને સંવેદના ની માટી થી બનેલું એક નગર બનાવું.
.
સબંધો ના ઈંટ-માટી થી ચણું એને,
અને પ્રેમ ના દરવાજા અને બારો કરું,
.
કરું શાંતિ અને સુખ નો એક મબલખ બગીચો,
અને આધ્યાત્મિકતા ની ફુલવારી કરું.
.
હોય લાગણીઓ ના પગથીયા ઘરમાં,
ને માં-સમ્માન ની છત કરું.
.
હોય વડીલો સમા દેવ-દેવી ઘર માં,
અને એમની સેવા નું જીવન ભર વ્રત કરું.
.
ચાલ ને એક ઘર બનાવું,
સ્નેહ અને સંવેદના ની માટી થી બનેલું એક નગર બનાવું.
.
~મૌલિક ત્રિવેદી
હાથ માંથી છૂટતો એક હાથ આજ જોઉં છું,
સાથે વિતાવેલી એ યાદો પરોવું છું,
મન થી મન વચ્ચે બંધાયેલી એ લાગણીઓ ની,
મજબૂત થતી એ ગાંઠ આજ જોઉં છું.
.
આંખો ના પલકારા વચ્ચે વીતેલા વર્ષો,
અને હસતા હસતા ગાળેલો એ સમય આજ જોઉં છું,
રમતા રમતા બાંધેલી એ મિત્રતા ની પાળ ને,
ઉડતી યાદોં ની ધૂળમાં રગદોળાતી જોઉં છું.
.
ખોબો ભરી ને વિચારો લાવેલો,
થેલો ભરી ને યાદો લઇ જાઉં છું,
વર્તમાન ના વણાકે ઉગતો આથમતો આજ,
આંખો માંથી સરકતી યાદો ને જોઉં છું.
.
એક વિશ્વાસ નું ફૂલ વાવેલું ક્યારેક,
તમારો એના માટે નો અવકાશ આજ જોઉં છું
.
છું પ્રતિબિંબ હું પણ આપડી મિત્રતાના મકાન નું,
ક્યાંક અધુરો તો ક્યાંક પૂરો ખુદ ને જોઉં છું.
.
~મૌલિક ત્રિવેદી
પલકારો શમ્યો ને નવી સવાર આજ થઇ ગઈ,
જીવ્યા જે ઝીંદગી એની યાદો બાકી રહી ગઈ.

.

મન ની ઈચ્છાઓ ના વાવાઝોડા વચ્ચે,
એક ઝીંદગી જીવી ના જીવી ને વહી ગઈ.

.

નવી દિશાઓ વચ્ચે પણ એક સમાનતા દેખાઈ,
કૈક નવી રેખાઓ હાથ ની હથેળી મહી ખેંચાઈ.

.

લાગણીઓ ના વાદળો એવા ઘેરાયા કે,
હું ભીંજાયો ને મારી આંખો પણ ભીંજાઈ.

.

ચાલ્યા કદમ બે કદમ ના સથવારે ને ઝીંદગી રિસાઈ,
ફરી વર્તમાન પર ભવિષ્ય ની એ ગુલામી વર્તાઈ.

.

મળવા ભટક્યું મન એમને એક વાર ફરી,
ત્યાં મળ્યા એ મને ત્યાતો આંખો મીંચાઈ.

હુ ઇચ્છાઓ ના પગથિયા ઉતરીને માતા ના ઉદર સુધી પહોચેલી એક વેલ. મને પ્રારબ્ધ કહી લો કે લાગણીઓ નો અતિરેક કહી લો. જન્મ પેહલાજ શાણપણ આવી ગયુ છે. ચહેરાના ભાવ વાંચવાની આદત પડી ગઇ છે. સાચુ કહુ તો માં ના ઉદર થી ઘરમાં બાંધેલા ઘોડીયા સુધી નો જે રસ્તો છે એમા ઘણા ખાડા અને અડચણો છે પણ સ્ત્રી ભ્રુણ છુ એટલે અભિમન્યુ ની જેમ માતા ના ઉદર માંથી જ બધુ શીખી ને જન્મ લેવો મારા માટે અનીવાર્ય છે. આજે અડધી રાત થઇ ગઇ પણ મને ઉંઘ નથી આવતી અને એમ પણ માતાના ઉદર માં શું અંધારુ અને શું અજવાળુ. કેટલાય દિવસ થી મુંજાઉ છુ અને આજે મમ્મી ને પણ મે ઉંઘવા નથી દીધી તો લાવ મારી મુંજવણ ને મમ્મીના મનમાં વિચાર તરીકે સ્ફુરુ.


અને રુચી બહેનને એક અવાજ સંભળાયો.મમ્મી...... તુ ખડ્ખડાટ હસી રહી છે. કેટ્લી ખુશ છે તુ. માં બનવાનુ સૌભગ્ય મળ્યુ છે તને. પણ તને બીચારી ને ક્યાં ખબર છે કે તારા પેટ માં ઉછરી રહેલી હુ પણ એક સ્ત્રી છું. અગર તુ એ જાણતી હોત તો કદાચ આટલી ખુશ ના હોત. વાર્તાની ચોપડીમાં અને તે કહેલી લોકકથા માં મે હમેંશા એક વાત કેહ્તા સાંભળ્યા છે લોકો ને કે, માતા નુ ઉદર સ્વર્ગ સમુ હોય છે. પણ કોઇ મને પુછો કે સ્વર્ગ મા કેટલી ગુંગણામણ થાય છે.


આજે એક વાત કેહવાનુ મન થઇ આવે છે. મને નવો જન્મ મળવાનો છે. નવા સબંધો- નવી જીંદગી, પણ હુ ખુશ નથી. “બેટી બચાવો” વિશે બહુ સાંભળ્યુ છે જ્યારે તુ ટી.વી જોતી હોય છે ત્યારે, પણ વાસ્ત્વિકતા ને અને મહેચ્છા ને 36 નો આક્ડો છે. હું આપણા ઘરની જ વાત કરુ તો તને મહાભારત કે રામાયણ કે વિષ્ણુ પુરાણ ની ચોપડી વાચવાનુ કહે છે ને મારા બા અને એ દરેક ચોપડીના દરેક પન્ના પર ક્યાંક સીતા ને અન્યાય થયો છે તો ક્યાંક દ્રોપદી ને, ધર્મના નામે થયેલા યુદ્ધમાં પુત્રો તો માતા ગાંધારીના જ હણાયા. હોળીકા હોય કે મંદોદ્રી- સ્ત્રી પર ડગલે ને પગલે અત્યાચાર થયો છે . પુરુષ તો ભૂતકાળ હોય કે વર્તમાન, નમાલો હોવા છત્તા એનુ જોર હમેશા સ્ત્રી પર જ બતાવતો આવ્યો છે. અને મમ્મી તુ પણ તો રામાયણ-મહાભારત-વિષ્ણુ પુરાણ એટલે જ વાંચે છે કે હુ પેટ માંજ સમજી જઉ કે બહાર આવીને મારે એજ બધુ જોવાનુ છે જે મે સાંભળ્યુ છે.


હોસ્પિટલના ખાટલાથી લાકડા સુધીના સ્ત્રીના સમગ્ર જીવનમાં, કરુણાની દેવી કહીને કે સહનશક્તિ નુ પ્રતિક કહીને તેના પર સદંતર અત્યાચાર થતા રહ્યા છે. અને એમા પાછો ધર્મ આડો આવે. સમાજે બનાવેલા કહેવાતા નિયમો એ સ્ત્રીની જીદગીને કાળા અને ધોળા રંગ થી રંગી નાખી છે. બુર્ખો ઓઢી ને દુનિયા ના રંગ અનુભવતી ગાંધારીઓ તમને રસ્તા પર ઠેર- ઠેર જોવ મળશે અને વિધવા બનેલી અને સહનુભુતી ઇચ્છ્તી એ જનની; અપમાન અને માનહાની ના કાળા ડામ સફેદ્ સાડી પાછળ છુપાવી ફરતી એ દેવી મુર્તીને, સમાજ ન ક્યારેય પુરુષ સમો બનાવી શક્યો છે ન બનાવશે.


મમ્મી તું અને પપ્પા થોડા દિવસ પહેલા નામ શું રાખશો એની ચર્ચા કર્તા હતા અને તને યાદ છે ને કે તે જ્યારે એવુ પછ્યુ કે છોકરી હશે તો શું નામ રાખીશુ ત્યારે પપ્પા કેવા અકળાઇ ગયા હતા. જન્મ પહેલા જ મને વારસામાં અવગણના મળવા માંડી છે. જોયુ ને વધુ પડતી ઇચ્છા મનુષ્ય ને પ્રારબ્ધવાદી બનાવી નાખે છે. અને એટલે જ સ્ત્રી તરીકે તુ અને હું એક નશ્વર દેહ રૂપે જ જન્મ લઇયે છીએ બાકી આપણી ઇચ્છાઓ, આકાંક્ષાઓ ની કસુવાવડ તો અવગણના, અત્યાચાર અને અણગમા રૂપી દાયણો પેહલા જ કરી નાખે છે.
મમ્મી આજે મને જવાબ જોઇએ છે. કહે મને કે એક માતાના પેટે અવતરેલી સમગ્ર દુનિયા જ્યારે સમજણ ની નીસરણી પર પાપા-પગલી કરવા લાગે છે ત્યારે જે માંના દુધે તેને આ લાયક બનાવી છે તે માં ને જ તે કેમ અવગણે છે?


અને રુચી ની આખો ખુલી ગઇ. એ આખ ઉઘડી હતી કે ખુલી હતી એતો રુચી ને જ ખબર. આંખ માથી નીકળતા આંસુઓ – કપાળ પરથી સરકતા પરસેવા ને હાથતાળી આપતા ઓશીકા પર કુદી ને જીવન ટુંકાવતા હતા. રુચી બહેને પાણી નો એક ઘૂંટડો પીધો અને વિચારે ચઢી ગયા. વર્તમાન ની ધૂળ ને ખંખેરતી રુચી તેના ભુતકાળમાં ગરકાવ થઇ ગઇ. તેની દિકરી એ કહેલી એક એક વાતને પોતાના જ ભુતકાળ ના અરીસાની છબી સમી દિસતી જોઇને પળવાર માટે તે અવાક બની ગઇ. પણ દિકરીને પેટ માંજ નમાલી બનાવીને સ્ત્રી વર્ગને રડવાનુ એક વધુ કારણ આપવુ તેને પાલવે તેમ નહોતુ. એટ્લે તેણે નક્ક્રી કરી લીધુ કે જે છે એને તો હુ બદલી નહી શકુ પણ મારી દિકરી નુ મનોબળ મજબુત તો હુ જરુર કરી શકુ અને તેના ગર્ભમાં ઉછરતી ઇચ્છા ને જવાબ આપવા પાછી આંખો મિચી દીધી.


અને હવે રુચી એ તેની દિકરીને એક માં ને છાજે તેવો જવાબ આપ્યો.
જો બેટા. સ્ત્રી કોઇ પણ સમય માં જન્મી હોય પછી તે રામ ના સમય મા હોય કે ક્રિષ્નના, સ્ત્રી ભક્ષકો થી તેનુ રક્ષણ કરવા હમેશા કોઇ ને કોઇ આવ્યુ છે. મહાભારત મા ક્રુષ્ણ ભગવાને ચીર પુરયા, અને સીખંડી ને માન આપવા ભિષ્મ પિતામહ એ બાણસૈયા સ્વીકારી. રામાયણ માં લંકા ની કોઇ વાટિકા માં આશું વહાવતી સીતા ને ખોળો પાથરી ને જીવન શિખ્વનારી ત્રિજટા નામની રાક્ષસી પણ તો માં જ હતી. ભગવાન શ્રીરામ એ શબરીનાં એઠા બોર નહોતા ખાધા, એમણે શબરી નો પ્રેમ ચાખેલો અને આપણે પ્રેમ આપવા માટે જ બન્યા છીએ.


દારૂ પી ને આવેલો પતિ પત્ની સાથે મારપીટ કરે તો પણ બેભાન થયેલા એના નિર્દય પતિને પડતો જોઇને આંસુ એક સ્ત્રી જ પાડી શકે. કુદરતનો નિયમ છે કે જેટલુ સુખ તેટલુ દુ:ખ અને જેટલા પાપ તેટલા પુણ્ય. જેમ સમુદ્ર મંથન માંથી નીકળેલા વિષને ભોળાનાથ પી ગયા હતા, તેમ પાપ અને પુણ્યના મંથન માંથી નીકળેલા અનિષ્ઠ ને જીરવા માટે જ તો આપણે જન્મ લઇએ છીએ. અને ભગવાન શ્રી ક્રિષ્ન ના મુખે થી નિકળેલા જ્ઞાન ને પણ ગીતા તરીકે ઓળખાય છે તે પણ એક સ્ત્રીનુ નામ છે. ભગવાન શંકરની જટા માંથી નીકળતી ગંગા પણ એક સ્ત્રીનુ નામ છે. હજાર પાપ કરીને નર્કમા ગયેલા કોઇ નમાલાના અસ્થી વિસર્જન માટે પણ ત્રિવેણી પુજાય છે જે પણ એક સ્ત્રીનુ નામ છે. મર્યા પછી પણ મોક્ષ નુ અંતિમ ચરણ ચિંતા છે જે પણ એક સ્ત્રીનુ નામ છે. તો જીવન આપવાથી મોક્ષ આપવા સુધી ના સમગ્ર કાળચક્રમાં અત્ર- તત્ર સર્વત્ર સ્ત્રી જ છે.


તો આ દુનિયામાં ઉદભવેલા અનિષ્ઠને ગળવા માટે આપણે રચાયા છીયે તો એમા ગર્વ કરવાની જગ્યાએ તુ આમ રડ નઇ. એટલે બેટા તુ ડર નહી તારી પાસે તારા પપ્પા ની અવગણના સાથે તારી માં નો અનુભવ છે. જ્યાં સીતાઓ જન્મી છે ત્યા લક્ષ્મીબાઇ જેવી વિરાંગનાઓ પણ જન્મી છે.જ્યાં મીરાબાઇ જેવી ભક્ત જન્મી છે ત્યાં કિરણ બેદી જેવી સ્ત્રી પણ જન્મી છે. તો હવે તુ નક્કી કર કે રડી રડી ને મરવુ છે કે માન થી અને કદાચ ભગવાન ના કરે ને તારે આંસુ વહાવડાવા પણ પડે તો એવી જગ્યાએ વહાવજે કે માનવતા ના કાગળ પર પડેલા પાપ અને અત્યાચાર ના ડાઘ તારા આસુંઓ થી ધોવાઇ જાય.


અને રુચી નુ પેટ શાંત પડ્યુ. રુચી ક્યારે સુઇ ગઇ તેને પણ નથી ખબર. પણ હા એ ઊંઘે તેની આંખો ખોલી નાખી. અને બરાબર વીસ દિવસે તેના ઘરે દિકરી અવતરી અને તેનુ નામ રાખ્યુ "ઇચ્છા".

અડ્ધી રાત્રે ઉંઘ ઉડી ગઇ. પહેલીવાર આમ ઉંઘ માથી સફાળો જાગી ગયો. અમસ્તું જ નહોતુ થયુ જે પણ થયુ તે. આજના આ યાંત્રિક યુગ માં માણસ પાસે પોતાનું ગણી સકાય તેવુ વ્યાજ ફક્ત ઉંઘ જ તો છે. પણ આજે ઉંઘ ઉડ્વાનુ કારણ મે જોયેલુ એક વિચિત્ર સ્વપ્ન હતુ.

આખા પરિવાર નુ ક્યાંક જંગલ માં જવુ. માતાજી નું મંદિર. ગાઢ જંગલ માં જુના બાધંકામ વાળુ એક દિવ્ય મંદિર. રાતવાસો કરવો. અડધી રાત્રે ખબર પડવી કે જંગલ માથી જંગલી જાનવરો નુ અક્મણ થવુ. મંદિરનાં ગર્ભગ્રુહ્ માં જીવન-મ્રુત્યુ વચ્ચે જોલા ખાતા મારા પરિવાર ને ભગવાન ના મંદિર માંજ મ્રુત્યુ સામે હારતા જતા જોવા. પોલિસ ને જાણ થવી અને અમારો સામુહિક બચાવ.

લાગે છે ને કોઇ અંગ્રેજી પિક્ચર ની એકદમ રોચક વાર્તા? પણ ના, મુખ્ય વાર્તા તો હવે ચાલુ થાય છે. પોલિસ ની વાન માં હુ છેલ્લો હતો દાખલ થવા માટે. વાર્તા પુરી થવાની જ હતી ત્યાંજ ભગવાન રામ પ્રગટ થયા અને મને પકડી લીધો. પોલિસ ની વાન ચાલી અને અદ્રશ્ય થઇ ગઇ અને સાથે-સાથે મારો પરિવાર પણ. ફક્ત અમે ત્રણ જ બાકી રહ્યાં ત્યાં- હું, ભગવાન રામ અને જંગલી જાનવરો નો ખૌફ. સાચે, ભગવાન હાજર હોવા છ્ત્તા મને બીક હતી મનમાં. સાચુ કહું તો આજ સુધી એટલા બનાવટ કરનારા જોયા છેને કે મને પ્રભુ રામ પણ પહેલા તો મંદિર મા અમારી જાણ બહાર વસતો કોઇ બહુરુપી જ લગ્યા. મનુષ્ય છું ને શક ગર્ભ માથી જ લઇને જન્મ્યો છું.

સમય પસાર થતો ગયો અને મારી અધિરાઇ પણ વધતી ગઇ, કે મારા જેવા સામાન્ય માણસ ને ભગવાન રામ કેમ મળ્વા આવ્યા, ના મેં કોઇ તપ કર્યુ છે ના મેં કોઇ એવુ કામ કર્યુ છે જેનાથી ચાર હાથ, મુગટ પહેરેલા ભગવાન રામ ફટ કર્તા પ્રગટ થઇ ગયા મને મળવા. આવા વિચારો માં મારુ મન વમળાઇ રહ્યું હતુ ત્યાંજ શ્રી રામે મને જગાડ્યો અને મને કહ્યુ કે “વત્સ, આવ મારા ખભા પર બેસ. જેવો હું ખભા પર બેઠો કે ભગવાન ને આંગળી ચિંધી ને મને પેલી પોલિસ ની વાન બતાવી જેમાં બેસી ને મારો આખો પરિવાર ઘર તરફ જવા નિકળ્યો હતો અને પ્રભુ બોલ્યા :- “ વત્સ! જો આ દુનિયા અને મનુષ્યો. જીવ બચાવવા શું-શું કરતા હોય છે. પોતાનુ જીવન બચાવવા માટે કેટ-કેટલા પ્રય્ત્નો કરતા હોય છે. ભગવાન આગળ બોલ્યા :- “ મને સમજાતુ નથી કે આમ પોતાનુ અને પોતાના સગા નું જીવન બચાવા માટે મનુષ્ય અન્ય ને શા માટે મુશ્કેલી આપતો હશે? જ્યારે તેને ખબર જ છે કે જીવન અને મ્રુત્યુ તેમના હાથ ની વાત નથી.

હું ભગવાન ને સાંભળતો રહ્યો અને વિચારતો રહ્યો અને પછી ભગવાન ને મેં જવાબ આપ્યો એક મનુષ્ય બનીને. મે કહ્યું પ્રભુ તમને મારે કહેવાય તો નહી પણ આજે તમે પુછ્યુ છે તો તમને એક ઘટ્ના યાદ કરાવું.

જ્યારે રામાયણ નુ યુદ્ધ ચાલતુ હતુ ત્યારે મેઘનાદ ના એક બાણ થી તમારા ભાઇ લક્ષમણ મુર્છીત થઇ ગયા હતા ત્યારે, લંકા ના ઑફીશિયલ વૈદ્ય એ કીધુ કે હિમાલય ના કોઇ એક શિખર પર કોઇ એક જડીબુટ્ટિ થી લક્ષમણ કદાચ બચી જાય. બસ આટલી જ વાત થઇ અને તમે કોઇપણ જાતનો વિચાર કર્યા વગર હનુમાનજી ને આદેશ( ઓર્ડર શ્બ્દ નહી વાપરુ, વાત સત યુગ ની છે ને એટલે) આપી દીધો કે ઉપડો ફટાફટ અને જલ્દી પાછા આવી જજો. તો પ્રભુ આ કોઇ કળયુગ માં ઉપજાવી કાઢેલો ચિલો નથી આતો તમે જ યુગ યુગ થી સમજાવતા-શીખવતા આવ્યા છો.

મેં આગળ ચલાવ્યુ, કે હે પ્રભુ તમે હમેંશા ફરિયાદ કરો છો કે આ સમાજ માં મનુષ્ય ને મનુષ્ય ની કિંમત નથી, તો જ્યારે હનુમાનજી આટલો મોટો પર્વત લઇને પાછા ફરતા હતા ત્યારે તમારા ભાઇ ભરતે કઇજ વિચાર્યા વગર તેમને બાણ મારી ને નિચે પાડી દીધા, તમે તો અંતરયામી છોને તો ત્યારે તમે ભરતભાઇ ને કહી શ્ક્યા હોત કે ભાઇ ત્યાથી કોઇ ભારે તેજસ્વી, પુંછ્ડીવાળો કોઇ વાદંરો ઉડતો દેખાય તો ડરીશ નહી, એને જવા દેજે આપણો જ માણસ છે.એતો બજરંગ બલી હનુમાનજી હતા, શ્ક્તિમાન હતા તો વળી બાણ સહન કરી ગયા બાકી તમે કળયુગ માં દવાખાના માં ઇંજેક્સન લેવા માટે દાકતર ની રાહ જોતા બિચારા મનુષ્ય નો ચેહરો નથી જોયો પ્રભુ.આવુ તમે કરી જ શક્યા હોત, પણ ના તમે ના કર્યુ. અને આજે જ્યારે કોઇ સરકારી કચેરી માં ઉંચા હોદ્દા પર બેસતો અધીકારી તેની જ નીચે કામ કરતા કોઇ બિચારા કર્મચારી ને ઉનાળા ની ગરમી માં ભર બપોરે સાયકલ લઇને ટિફિન લેવા મોકલે અને તે કર્મચારીના ઘરે તેની સાથે સાવ નોકર જેવુ વર્તન કરવામાં આવે ત્યારે તમને કોઇ હક નથી મનુષ્ય જાતી ને પુછવાનો કે તમે કેમ તમારા સેવક ને સમ્માન નથી આપતા. તમે હનુમાનજી ને દિલ માં જગા આપી તેમ સરકારી અધિકારી તેને પગાર ચુકવે છે, વાર તહેવારે બોનસ આપે છે. તો આ પણ યુગ યુગ થી તમે જ શિખવતા આવ્યા છો મનુષ્ય ને , અને આજે તમે એજ વિચારો પર આક્ષેપ કરી રહ્યા છો?

તમારા ભગવાન લોકો નો આજ પ્રોબલેમ છે, તમે લોકો પહેલેથી બધુ ન્ક્કી કરી ને રાખો છો અને જ્યારે તેનાથી કઇક વધારે મનુષ્ય કરી બતાવે ત્યારે કળયુગ ના નામે અમારી શોધ ને પાપ-પુણ્યના બિબાં માં ઢાળવાનો પ્રયાસ કરો છો. સતયુગ માં ભગવાન હોય કે રાક્ષસ બધા હવામાં વિચલન કરી શક્તા હતા, અમને મનુષ્યો ને આ શ્ક્તિ થી વંચિત રાખ્યા. અમે પણ જન્મ થી તો વિનમ્ર જ હોઇયે છીયે, પણ જીવન માં આવતી નરી વસ્તવિક્તાઓ, ગરીબી, લાચારી અને જરુરિયાત અમને અપ્રામાણીક,લચાર,કપટી અને ગર્જુડા બનાવે છે. સત યુગ માં દેવ હોય કે દાનવ તમામ ઉડી શક્તા, વિહરી શક્તા પણ ના કળયુગ નુ બહાનુ કાઢીને અમને એ શ્ક્તિ થી પણ વંચીત રાખવામાં આવ્યા. અમે મનુષ્ય પણ સમજીયે છીએ કે જરુરિયાત શોધ ની જનેતા છે. જો તમે પક્ષી ને ચાલતા અને મનુષ્યો ને ઉડવાની છુટ/શક્તિ આપી હોત તો કદાચ આજે મારે મારા પરિવાર ને બચાવવા માટે કોઇ અન્ય ની મદદ ન લેવી પડી હોત.

મહાભારત ના યુદ્ધ માં અર્જુન ને તમે ઉપદેશ આપ્યો કે “કર્મણિયે વાદીકા રસ્તે, માં ફલેષુ કદાચનં:”, અર્થાત કર્મ હમેંશા તેના ફળ કર્તા વધારે મહત્વ ધરાવે છે. હું આ જ્ઞાન ને વંદન કરુ છુ પરંતુ જ્યારે પ્રહલાદ ને તેના પિતા હિરણ્યકશ્યપ મારવા માટે થનગની રહ્યા હતા ત્યારે પ્રહલાદ ના મન માં ભક્તિ ના બદલામાં મદદે આવવા માટે આજીજી કરવાનો કિમિયો તમે જ ઉત્પન્ન કેમ કર્યો હતો. હોલિકા ને વરદાન હતુ કે તેને આગ નહી જલાવી શકે અને પછી પોતાની સરમુખ્તિયાર શાહી જાળવી રાખવા માટે, હોલિકા એ વર્ષો સુધી તપ કરીને મેળવેલા વરદાન ની અવગણના કરી ને તેનો ખાત્મો કર્યો. તો આજે અગર મનુષ્ય પોતાન ફાયદા માટે કોઇ એવુ પગલુ ભરે કે જેનાથી કદાચ કોઇનો હક, ફાયદો ખોરવાઇ જાય તો તેમાં પાપ-યુણ્ય ની ગણત્રિ ને તો અવકાશ જ નથી.

મહાભારત માં ભાઇ-ભાઇ વચ્ચે કર્મ-ધર્મ નાં નામે યુદ્ધ કરાવી ને કળયુગ માં તમે ભાઇચારો યાચો છો પ્રભુ તે ક્યાનો ન્યાય છે? અને પરિક્ષા લેવાનો તો તમારો બહુ જુનો શોખ છે પછી એ રામાયણ માં માતા સીતા હોય, કે મહાભારત મા ભિષ્મ કે પછી ગોપી-રાધા ના પ્રેમ ની કસોટી હોય.

અંતે હું તમને ફક્ત એટ્લુ જ કહિશ પ્રભુ કે આ યુગમાં આંતરીક મનથી વિચારનારા ઘણા ઓછા અથવા તો નહિવત છે. કદાચ મારી વાતો તમને વ્યર્થ લાગે અથવાતો ભૌતિક્તા થી ભરેલી લાગે પરંતુ મનુષ્ય બનીને એકવાર જીવનમાં આવતી મુશ્કેલીઓ અને લાચારીઓ ને એક વખત નિકટ થી અનુભવી જુવો, ત્યારે ખબર તમને સમજાશે કે ભૌતિક સુખો માં રાચતો મનુશ્ય આજે પણ કેમ રોજ સવારે તમારી સામે 2 હાથ જોડી ને ઉભો રહે છે.
મારી હૈયા વરાળ શાંત થઇ અને પ્રભુ હસ્યા અને પછી મને એટ્લું જ કહ્યુ કે


“કોક જીવી ને પણ ભુલે છે જીવન ના સત્યો, ને કોક અજાણ્યે જ્ જીવી જાય છે,
આતો મધુર રસ છે વત્સ, કોક સાચવી જાણે છે,તો કોઇ પી જાય છે”


આટ્લુ કહી ને પ્રભુ અદ્રશ્ય થઇ ગયા,મારી આંખોને એક તેજ્સ્વી પ્રકાશે આંજી દિધી અને જ્યારે ખુલી ત્યારે હુ મારા પલંગ સુતો ખુલ્લી આંખે જાગ્તો હતો.


નીતરતી આંખો વચ્ચે એક સપનું ધોવાઇ ગયું,

ઈચ્છાની હેલી કરતુ એ રૂડું વાદળ ખોવાઈ ગયું,

.

સંબંધોની સંતાકુકડી માં અટવાયેલા મૌલિક થી આજ,

અમસ્તું જ હયાતી ના અરીસા માં જોવાઈ ગયું,

.

તિરસ્કાર ના કાંટા પર ચાલવા મથ્યો ને ત્યાં,

હતાશા ના અંધકાર માં મારું પ્રતિબિંબ વિસરાઈ ગયું,

.

આજ અજવાળી રાતે મારાથી રોવાઇ ગયું...

વેહતી નદી ના નીર સુક્કા પડી ગયા,

અંધારા અજવાળા આજ ભેગા મળી ગયા,

.

મન માં રહેલી માન્યતાઓના મિનારા,

ચણ્યા ના ચણ્યા ને ધરાશાયી થઇ ગયા,

.

ઉઠી અસંતોષ ની એવી આંધી કે,

ઈચ્છાઓ ના ઝરૂખા ધૂળ માં મળી ગયા.

.

આવ્યું નિરાશા નું ઘોડાપુર એવું કે,

વિચારો ની કશ્તી ને પસ્તાવા ના મોજા નળી ગયા.

.

ને અંતે વાવ્યો એક છોડ ફરી પ્રય્તન નો ને ત્યાતો,

એને વાસ્તવિકતાઓ ના વાવાઝોડા ગળી ગયા.

.

વેહતી નદી ના નીર સુક્કા પડી ગયા,

અંધારા અજવાળા આજ ભેગા મળી ગયા,

વાદ્ળ પાછળ સંતાકુકડી રમતા સૂરજ ને જોઈ રહ્યો છું,

ભૂતકાળ ના પાણી થી આજ મારી આંખો ધોઈ રહ્યો છું.

.

સંબંધો ની ભીડ વચ્ચે અથડાતો પછડાતો આજ,

પ્રેમ ના તડકા છાંયા મહી મારો પડછાયો ખોઈ રહ્યો છું.

.

પ્રયત્નો ના ફૂલ ને પકડવા મથ્યો ત્યારે,

નિષ્ફળતા ના અસહ્ય કાંટા સહી રહ્યો છું.

.

આઘાત પ્રત્યાઘાત ના બેય કિનારે બેઠો આજ,

વર્તમાન ને મારી આપવીતી કહી રહ્યો છું.

.

સંવેદના ના ત્રીજા કિનારે બેઠો આજ, આથમતા સૂરજ ને જોઈ રહ્યો છું.

મોંઘેરી આ દુનિયા માં બસ મારો એ પ્રેમ જ સસ્તો રહ્યો,

મારા ચારિત્ર્ય ને નિષ્પાપ રાખવા એને વેદના ના પથ્થર પર ઘસતો રહ્યો.

.

છુપાવી નફરત ના ડામ હાસ્ય ની ચાદર પાછળ,

લાગણીઓ ના ઘોડાપુર ને ગળ્વા મથતો રહ્યો.

.

ચાલ્યો ન ચાલ્યો એ તરફ ને ત્યાં તો,

આશાઓ ઓલવાઈ ગઈ ને બાકી ફક્ત રસ્તો રહ્યો,

.

અણગમા ના અંધારે, મારો એ સંતાપ વરસ્તો રહ્યો,

તિરસ્કાર ના રણ માં હુ પળ પળ તરસ્તો રહ્યો.

.

એ જોઇ બેફામ મારા પર વિધાતા હસતો રહ્યો

~ મૌલિક ત્રિવેદી

રાખડી ના તાંતણા ને પરોવી રહ્યો,

એમાં બાંધેલા મોતી માં મારી બહેન ને જોઈ રહ્યો છું,

.

બાંધવા જતા યાદોં ની ગાંઠ આજ,

અંધારે અજવાળે રોઈ રહ્યો છું,

.

લઇ સંબંધો ની પંખો એ નવા માળા માં ચાલી જાય છે,

ને દરેક રક્ષાબંધને એ પારકી થઇ ગયા નો એહસાસ થાય છે,

.

હળવા ઝગડા અને એ ઓશિકા ની લડાઈ,

એનો લાડકી હોવાનો રૂઆબ અને એ પપ્પા સામેની એની બડાઈ,

.

ઉંબરા ના સાથીયા ની એ સખી પલકારા માં કોક ની થઇ જાય છે,

.

ને પછી હાથ માં એ રક્ષાબંધન ના પરબીડિયા રહી જાય છે"

.

-મૌલિક ત્રિવેદી

ઉંઘ માં અડધિ ડુબેલી આંખો, હાથ માં ગરમ ચા નો કપ અને હાથમાં છાપું પકડતાજ આજનો માનવી બરાડી ઉઠે છે કે આ મોંઘવારી ક્યારે જશે. મારા રોજીંદા જીવન માં મે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે લોકો ને એકજ ફરિયાદ્ કરતા જોયા છે કે આ મોંઘવારી મારી નાખસે. મનુષ્ય ને ભગવાને એક બહુ જ અલૌકીક શ્ક્તિ આપી છે એ છે મુશ્કેલી ને ઓળખવાની. કોઇ પણ પરિસ્થિતિ પાછળ કયુ કારણ, કયુ પરિબળ જવાબદાર છે તે મારા અને તમારા જેવા મનુષ્યો જલ્દિ ઓળખી કાઢે છે. ઉગતી સવાર થી ઢળતી સાંજ વચ્ચે આમ જનતા ને સતાવતો સૌથી મોટો પ્રશ્ન છે “ મોંઘવારી ” .આમ જોવા જાવ તો ઘણા બધા કારણો મારી-તમારી પાસે છે જેને આપણે મોંઘવારી માટે જવાબદાર સમજીએ છીએ. પછી એ વિશ્વ બેંક નુ દેવુ હોય કે સાપુતારા ના રસ્તા જેવો વધતો-ઘટતો ફુગાવો.

પણ અચાનક વસ્તુ ના ભાવ આટલા બધા વધવા પાછળ નુ કારણ આ બધા ઉપરાંત પણ એક છે જે સૌથી મહત્વનુ છે અને એ છે આપણા બધાની બદલાતી જતી માનસીક્તા. મે અને તમે બધાએ આપણા વડવાઓ પાસે થી સાંભળ્યુ છે કે આ વસ્તુ તો અમે એક રુપીયા માં લાવ્તા અને આ વસ્તુ તો અમે બે રુપિયા માં લાવ્તા. તો આજે કેમ એજ વસ્તુ ના ભાવ હતા એના કરતા 25-30% ઘણા થઇ ગયા છે? શાકભાજી હોય કે સોનુ, ભાવ લોકોની ખરિદ શક્તિ કરતા આટલા વધારે કેમ થઇ ગયા? એનુ કારણ છે આપણો સમાજ અને તેની બદલાતી માનસીકતા.

મારા દાદા થી મારા પપ્પા અને એમનાથી મને એક વિચાર વારસા માં મળ્યો છે કે “ સોનુ તો બઉ મોંઘુ ” પણ છેલ્લા કેટલાક વષો થી આ વિચાર ને આપણે થોડો બદલીને આપણા પગ પર જ કુહાડી મારી છે. આજનો સમાજ વિચારે છે કે “ મોંઘુ એટલુ સોનુ ” . આપણા બધા ના દિમાગ માં એક એવી માન્યતા ઘર કરી ગઇ છે કે વસ્તુ ના ભાવ જેટલા મોંઘા વસ્તુ એટલી જ સારી. આજે પણ મારી સોસાઇટીમાં દાણાદાર ઘી વેચવા આવતા ભાઇ ને જોઇ ને હું મમ્મી ને પુછુ ત્યારે તે એવુ જ કે – આવુ ઘી ના લેવાય , સારુ નથી આવતુ. મોટા મોટા મોલ માં, આકર્ષક ડ્બ્બા માં સૌથી બકવાસ એવુ વેજીટેબલ ઘી આપણ ને વધુ સારુ લાગે છે ફક્ત એટલે જ કે તે મોઘું છે?
આજે રીલીફ રોડ પર કપડા નો વેપાર કરતા બધા દુકાનદાર ની એક જ ફરિયાદ છે કે છેલ્લા 5-7 વર્ષ થી ધંધો સાવ ખરાબ થઇ ગયો છે. કારણ? એજ, કપડા આજના લોકો ને મોલ માથી લેવા વધુ ગમે છે અને તે પણ રીલીફ રોડ કરતા 3 ગણા ભાવે. કેમ? આટલી બધી ભૌતિક્તા કેમ છે આજે? “Comfort” ના નામે આજે લોકો આંધળા બની ને કેમ મોઘીં ડાટ વસ્તુઓ ખરીદે છે?અને પછી રાડારાડ. જમીન મોંઘી થઇ, ફ્લેટ ના ભાવ આસમાને છે, સોનુ તો હવે પેઢીઓ નીજ જાગીર છે. આ બધુ થવા પાછ્ળ બે કારણો હોઇ શકે.

1.“ મોંઘુ એટલુ સોનુ ” વાળી માનસિકતા
2.દેખાદેખી માં અનુસરવામાં આવતો ચીલો.

હવે અમુક સવાલ તમારી જાત ને પુછો. તમે છેલ્લે ક્યારે ત્રિસ-પચાસ રુપિયા ની ટીકીટ વાળી થીએટર માં મુવી જોયુ? તમે છેલ્લે લારી પર ઉભા રહી ને પરોઠા-શાક કે ઇડલી-ઢોસા ક્યારે ખાધા હતા? ઘરે બનાવેલા ગાંઠીયા કરતા ગાંઠીયા રથ ના ગાંઠીયા અને ઘરે બનાવેલા પુડલા કરતા જસુબેન ના પિઝ્ઝા લોકો વધારે પસંદ કરે છે. આજ-કાલ તો એક નવો અને અજીબ જ ચિલો પાડ્યો છે લોકો એ. હોટેલ-રેસ્ટોરંટ માં જઇને મિનરલ વોટર પિવાનો. અને જરુરીયાત ન હોવા છત્તાં પણ આડેધડ મોંઘી વસ્તુઓ ખરીદવાનો.

સોસાઇટી ના નાકે ઉભા રહેતા શાકવાળા પાસે 10 રુપિયા માં બટાકા સાથે આદુ-મરચા-કોથમરી મફતમાં માંગતા સીતા-ગીતા-ફલાણા-ઢીંકણા બેન ને આજ્કાલ સુપર મારકેટ નુ 35-40 રુ કિલો બટાકા વાળુ શાક-બકાલુ જ્ ફાવે છે. સ્ટેટસ છે ભઇ.

મારો દીકરો તો આજ સ્કુલ માં ભણવો જોઇએ ભલે ગમે તેટલા રુપિયા આપવા પડે. છોકરો 10th માં આવ્યો હવે તો એને મોબાઇલ જોઇએ જ. બાઇક તો અપાવુજ પડે. કોમ્પુટર તો ઓલ્ડ ફેશન કહેવાય, લેપટોપ જ અપાવીશ હુતો મારા લાડકા ને. આ હાઇ-ફાઇ લાઇફ સ્ટાઇલ આજની જનરેશન ગર્ભમાથી જ શીખી ને આવે છે.ચણા-મમરા, મકાઇ નો ચેવડો હવે દાદા-દાદી ની વાર્તા પુરતો મર્યાદિત થઇ ગયો છે. બર્ગર, સેંડ્વીચ ના ડુચા પુજાય છે.સાયકલ ની જગ્યા એ બાઇક અને બાઇક ની જગ્યા એ કાર આવી ગઇ છે. 10 કિલોમીટર ચાલતો માણસ આજે 1 કિલોમીટર ચાલી શકતો નથી ને પછી પેટ્રોલ ડીસલ ના ભાવ વધારા સામે લાલ આંખ કરે છે.

આવા એક-બે નહી પણ 100 કારણ જવાબદાર છે આ પરિસ્થિતિ માટે. વસ્તુ ની ગુણવત્તા કરતા તેની કિંમત ને વધુ પ્રધાન્ય અપાઇ રહ્યુ છે. તુ દસ વાપરે તો હુ સો વાપરુ એવી આંધળી દેખાદેખી જ્યાં સુધી લોકો ના મગજ માથી દુર નહી થાય ત્યાં મોંઘવારી ની ઉધઇ આપણા સમાજ રુપી છોડ ને કોતરતી રેહ્શે.

"જીવન કેરી કિતાબ માં કોરો રહ્યો છું,
પૂર્ણ થઇ આ દુનિયા ને હું ક્યાંક અધુરો ક્યાંક પૂરો રહ્યો છું"

જીવન શું છે? આ પ્રશ્ન પર પ્રકાશ ફેંકનારા, વિચારનારા, પૂછનારા, ચર્ચા કરનારા કહેવાતા અથવા તો સાચા ધર્મગુરુઓ જે કઈ પણ કેહતા હોય. જીવન દરેક વ્યક્તિનું પોતાનું એક આગવું અલગ પ્રશ્નાર્થ ચિન્હ છે. જેનો જવાબ યાતો જેતે મનુષ્ય પોતેજ આપી શકે યાતો સૃષ્ટિ ના સર્જનકર્તા વિધાતા પોતે.

જન્મ થી મૃત્યુ વચ્ચે મળેલા તમામ પર્વ, ક્ષણ, શ્વાસ, ઉચ્છવાસ અથવાતો મળેલા તમામ ધબકારા જીવંત સૃષ્ટિ ને એકજ મૂળ સમજાવે છે એ છે જીવન નો ધ્યેય, સૃષ્ટિ ઉત્પન્ન થવા પાછળ નું મૂળ. કોઈ પણ જીવ દુનિયા માં એક ચોક્કસ મકસદ સાથે જન્મે છે. પાપ અને પુણ્ય તો જીવન ના બે કિનારા છે. જે પાપ ના કિનારે થી નાવ હંકારે છે તે પુણ્ય સુધી પોહ્ચવા મથે છે અને જે પુણ્ય ના કિનારે થી નીકળે છે તે પાપ તરફ વહેતો જાય છે અને તટસ્થ રહેવા મથનારા તમામ મધદરિયે ડૂબી જાય છે.

જીવન વિધાતા એ લખેલું એક નાટક છે જેમાં તમામ નો કોઈ નિશ્ચિત અને અતિ મહત્વ નો ભાગ છે. તમામ જીવન ભાર પોત પોતાના એ ભાગ ને જીવવા સમજવા કાંતો સમજાવવા મથે છે. અને અંતે હસતા યા તો રોતા એ મંચ પરથી વિદાય લે છે.

જેમ શાળા ના કોઈ વર્ગખંડ માં બેઠેલો વિદ્યાર્થી સામે પડેલા પુસ્તક ની અનુક્રમણિકા માં જોતો વિચારતો હોય કે કયું પ્રકરણ પેહલા વાંચું ને કયું પછી, કયું સહેલું હશે ને કયું અઘરું; તેમ આપનું જીવન પણ એક પુસ્તક છે જેની અનુક્રમણિકા માં પ્રથમ પ્રકરણ જન્મ છે અને અંતિમ મૃત્યુ અને તેમની વચ્ચે ના તમામ પ્રકરણ ના ક્રમ દરેક ના પુસ્તક માં જુદા જુદા છે. ક્યાંક સુખ નો સરવાળો મોખરે છે તો ક્યાંક દુખની બાદબાકી. પરંતુ તમામ ને દરેક પ્રકરણ ભણવા- સમજવા જ પડે છે.

જીવન એક મંથન છે સત્ય અને અસત્ય વચ્ચે રહેલા ભેદનું. એક તરફ થી ભૌતિક સમાજની ઇચ્છાઓ જોર કરે છે અને બીજી તરફ થી કાલ્પનિક દુનિયા ની મહેચ્છાઓ. અને વચ્ચે વાસ્તવિકતાઓ ના મોજા હિલોળા લેતા રહે છે. જીવન એક નદી છે જે જન્મ ની ગંગોત્રી માંથી નીકળી ને દુનિયા ના તડકા છાયા જોતી, મૃત્યુ ના અનંત દરિયા ને જ જઈ મળે છે. અને તુરંત જ આત્મ ની બાષ્પ નવું વાદળ, નવું શરીર શોધી ને જેમ એક વિદ્યાર્થી દર વર્ષે નવા વર્ગ માં જાય તેમ જવું જીવન જીવવા માટે એક નવું બીબું શોધી કાઢે છે અને ફરી એક નવા નાટક માટે નવા રંગમંચ પર અદાકારી બતાવતો જીવન જીવે છે.

આ કાળ ચક્ર માં છુપાયેલું સત્વ જેને મળી જાય છે તે સદાય ને માટે ઈતિહાસ ના પુસ્તકો યા મંદિર ની પ્રતિમાઓ અથવા તો રસ્તા પર સ્થપાયેલી મૂર્તિઓ માં રહીને અમર થઇ જાય છે.
મિત્રો,

"સંતોષ-અસંતોષ માં રચનારા સમાજ માટે જ્ઞાન ના દ્વારે તાળું છે,
ઉગતા સુરજ ને છત્રી થી ઢાંકનારા સમાજ માટે તપતી સવારે પણ કાળું અંધારું છે"

પ્રકાશ આપણને માત્ર દિશા બતાવે છે, રસ્તો આપણને માત્ર માધ્યમ પૂરું પડે છે. દુનિયા માં કોઈ વસ્તુ એવી નથી જેને પામવા માટે મનુષ્ય એ પુરુષાર્થ ના કરવો પડે. પૈસા પાછળ દોડતા સમાજ માં જ્ઞાન નું મહત્વ કોઈ પ્રજ્વલિત દીવા નીચે બનેલા કાળા કુંડાળા જેટલું હોય છે જે દીવા ની જ્યોત સાથે જ જન્મે છે અને તેની સાથે જ સંધ્યા ના સુરજ ની જેમ અસ્થ થઇ જાય છે.

વાસ્તવિક અને કાલ્પનિક આ બે શબ્દો જીવન માં દરેક વ્યક્તિ ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હેરાન કરે છે. દુનિયામાં અમુક એવી વસ્તુઓ, ધટનાઓ બની જતી હોય છે જે પરોક્ષ રીતે આવનારી, થનારી ઘટનાઓ , પરિસ્થિતિઓ નો ખ્યાલ આપે છે. આપણા માનસ પટને વાકેફ કરે છે.જીવન માં ઘટતી દરેક ઘટના પોતાની સાથે ઘણુંબધું સાંકડી ને આવે છે. પરંતુ પરિસ્થિતિ એ ઉભા કરેલા આઘાત- પ્રત્યાઘાત ના ગુણાકાર-ભાગાકાર સમજવા માટે એક મનુષ્ય પાસે જે કઈ પણ હોય છે તે સઘળું તે ભૌતિક જીવન ને સજાવવા માં વેહ્ચી નાખે છે.

આમ જોવા જાવ તો મનુષ્ય હમેશા કત્પુટલી જેવું જીવન જીવતો આવ્યો છે, પછી એ કોઈ મહાન વ્યક્તિ હોય કે નાનકડા ગામ માં રોજી માટે દિવસ રાત મજુરી કરતો કોઈ જીંદગી થી ત્રાસેલો મજુર. મનુષ્ય નો સ્વભાવ હમેશા સરખો રેહતો નથી. દુનિયા માં ઘણી વસ્તુઓ આપણ ને પરિસ્થિતિ સમજાવે છે. જ્ઞાન ની વાત કરવા માટે હોવું જોઈએ તેટલું જ્ઞાન કદાચ મારામાં નથી પરંતુ એ ખાલીપા ને ભરવા માટે કરવા પડતા પુરુષાર્થ નું પ્રતિબિંબ ખોળી શકું એટલી શક્તિ મારી આત્મા મને આપવા સક્ષમ છે.

પ્રેમ,ઘૃણા,પાપ,વિશ્વાસ-અવિશ્વાસ; આ બધા શબ્દોની વ્યાખ્યા દરેક માણસના જીવન પર નિર્ભર કરે છે. ઘણા વ્યક્તિ ઘણી નાની ઉમર માં ઘણું બધું જોઈ લેતા, સમજી લેતા થઇ જાય છે અને ઘણા ને આખું જીવન કોઈ એક પરિસ્થિતિ નો ક્યાસ કાઢવામાં વ્યતીત કરી દેવું પડે છે.

બુદ્ધિજીવીઓ માટે કદાચ આ લેખ કોઈ નીરસ લેખકની આત્મકથાના મધ્યાહન જેવો હોઈ શકે પણ આજ સવાલ તમે તમારી આત્માને પૂછી જુવો. શું તમે કોઈ એક વસ્તુ માટે જે જ્ઞાન કે સમાજ ધરાવો છો તે પુરતી છે? આ બધી વસ્તુઓ જેતે વ્યક્તિના સંતોષ ઉપર નિર્ભર કરે છે.

સુખ અને દુખની હાથ તાલી જીલતા આ જૈવિક સમાજમાં કોઈ વસ્તુનું મૂલ્ય એક મીહ્બત્તી જેટલું જ છે. જયારે માણસને પ્રકાશ ના મળે( વૈજ્ઞાનિક પ્રકાશ/ કૃત્રિમ પ્રકાશ) ત્યારે મીહ્બત્તી ક્ષણિક દિશાસૂચક બની રહે છે, તેમ દરેક વસ્તુની નિર્ભરતા ક્ષણ માટે પણ કૈક વધારે જ હોય છે. રોજ આવનારા પરિવર્તનને વ્યર્થ સમજી બેસનારા આજના માનવ( યંત્ર-તંત્ર) પાસે જીવન તો છે પણ એને જીવવા માટે જરૂરી ધ્યેય, મહત્વાકાંક્ષા અને નિષ્ફળતા સહન કરી શકવાની શક્તિ જે ફક્ત અનાત્ર જ્ઞાન માંથી મળે છે એ નથી.

જીવન આખું સમાજ જિંદગીએ ઉભા કરેલા સવાલોના જવાબો શોધવામાં ગાળે છે અને જયારે જવાબ મળે છે ત્યારે સવાલ ના અર્થ બદલાઈ જાય છે અથવાતો સવાલ પોતે.દૈવી શક્તિ એ બનાવેલ વિશ્વ ને ભૌતિક જ્ઞાન ના બીબા માં ઢાળી દઈને જીવન આખું અસંતોષ ના ઘૂંટડા પીનારા સમાજને કહેવાતા ધર્મ-ગુરુ ની જરૂર નથી બસ અંદર સુતેલ આત્મ જ્ઞાન ને ઓળખવાની છે. ઈશ્વર છે તો બધું છે એવું સમજી લઇને જેમ મંદિર માં ગયા પછી ગમે તેવો પાપી મનુષ્ય આંખ બંધ કરી ને સામે પડેલી મૂર્તિ સિવાય આખી દુનિયા ને ભૂલી જાય છે તેમ, મન અને આત્મા ના એકીકરણ નું નામ એટલે અંતર જ્ઞાન.